ગુજરાત

કચ્છમાં બન્નીના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર માટે બ્રિડિંગ સેન્ટર બનશે

ગુજરાત સરકારે કચ્છમાં ચિત્તા સંરક્ષણ પ્રજનન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી અગાઉ મંજૂરી માંગી હતી. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં આ માંગને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે. આવામાં એકવાર ફરીથી ચિત્તાના સંરક્ષણ માટે કચ્છનું ઘાસ ઉત્તમ રહેઠાણ બની રહેશે.

ગુજરાત પહેલેથી જ એશિયાઈ સિંહોનું મોટું ઘર છે, ત્યારે હવે અહી ચિત્તા દોડતા જોવા મળશે. કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના વન તેમજ પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ તેની માહિતી આપતા જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની આ જાહેરાતથી ગુજરાતામં ખુશી જોવા મળી રહી છે. કચ્છના કેટલાક સ્થાનિક લોકોનું કહેવુ છે કે, બન્ની ઘાસ ચિત્તાનું પસંદગીનું સ્થળ રહ્યું છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું તે હવે પુનઃ વિશ્વ ફલક પર જાણીતુ બનશે. કચ્છમાં બન્નીના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર માટે બ્રિડિંગ સેન્ટર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની ભેટ આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *