ગુજરાત

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 8 વખત ભૂકંપના આંચકા નોંધાયા, જેમાંથી 7 આંચકા કચ્છમાં

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ભૂકંપનાં આંચકાના આંકડાની વાત કરીએ તો કચ્છમાં 33 આંચકા આવી ચૂક્યા છે. જેમાં 2019 માં 6, 2020 માં 11, 2021 માં 7, 2022 માં 1 આંચકાનો સમાવેશ થાય છે. ત્યારે મળતી માહિતી મુજબ કચ્છ, અમરેલી, સુરત સહિતના જીલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન મુખ્ય ટ્રાયન્ગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. જેથી ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન ડિસ્ટર્બનથી ભૂકંપ વધ્યા છે. ફોલ્ટ લાઈનને અનુરૂપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. જેમાં તિરાડો પડતા જ નવી ફોલ્ટ લાઈનો જમીનની અંદર સક્રિય થઈ જવા પામી છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઈન કચ્છની અને બીજી તાપી ફોલ્ટલાઈન ખંભાત અખાત, ભરૂચ, રાજપીંપળા, ડાંગને અસર કરે છે. જ્યારે બીજી એક ફોલ્ટ લાઈન ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં અસર કરતી હોય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x