ગુજરાત

એસ.વી.ટી કેમ્પસ ઉજળેશ્વર ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો

એસ.વી.ટી. કેમ્પસ ઉજળેશ્વર ખાતે આર્ટ્સ- કોમર્સના વિદ્યાર્થીઓ તથા બી.એડ્. ના તાલીમાર્થીઓનો વાર્ષિકોત્સવ રંગારંગ શાનદાર રીતે ઉજવાયો. આ મહા ઉત્સવમાં આ જ કેમ્પસ ની શાળામાં સેવા આપીને આજે નિવૃત જિલ્લા શિક્ષણાધિકારીની તરીકે સેવા આપેલ એવા શ્રી વાય.એચ.પટેલ તથા એમ.જી. મલેક, વખતસિંહ બાપુ, મનહરસિંહ પરમાર, સમીરભાઈ. ડી.મિર્ઝા, અલ્પેશભાઈ કે.પટેલ, સાજિદભાઈ મિર્ઝા, સમીરભાઈ મિર્ઝા,અમિતભાઈ પટેલ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટકો, ડાન્સ, એકપાત્રિય અભિનય, નૃત્ય તથા અનુભવો રજૂ કર્યા હતા. કોલેજ માં ઉમદા કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. બી.એડ કોલેજના આચાર્યશ્રી જશુભાઈ ભરવાડ તથા આર્ટસ કોમર્સના આચાર્યશ્રી મિતેશભાઇ દેસાઈ તથા એસ.આઈ કોલેજના આચાર્યશ્રી જુનેદભાઈ તથા નર્સિંગ કોલેજના આચાર્યા રીમાબેન તથા કેમ્પસના સમગ્ર સ્ટાફગણને તથા કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એમ. કે. મિર્ઝા સાહેબ અને ઝાહિદભાઈ મિર્ઝા સાહેબે સૌને બિરદાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x