ગુજરાત

મુ્ખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંબોધન કરતા કહ્યું કે આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લઈએ.

છોટાઉદેપુર :

73માં સ્વતંત્રતા દિવસેની ઉજવણી દેશમાં દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છોટાઉદેપુર માં ધ્વજારોહણ કર્યુ છે. મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું કે પર્યાવરણના જતન માટે સરકાર કામ કરી રહી છે. યુવાનોને રોજગાર માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે દુષ્કાળની સ્થિતીને લઈને મુખ્યપ્રધાને કહ્યું કે જનતા સાથે સરકાર ઉભી રહી હતી.
વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે શુધ્ધ પાણી, વીજળી માટે સરકાર પ્રતિબદ્ધ છે. સરકાર ગૌવંશની હત્યા કરનારાઓને પણ છોડશે નહીં, તેમની વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. તે સિવાય આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લેવાનું જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x