ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં પતંગ દોરી ના વ્યાપાર અંગે હંગામી મંજુરી મેળવવા જોગ

તા.૨૦ ડિસેમ્બર થી તા.૩૦ ડિસેમ્બર સુધી કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન ગાંધીનગર ખાતેથી ફોર્મ મેળવી શકાશે

આગામી ઉત્તરાયણ-૨૦૨૫ ના તહેવાર પ્રસંગે ગાંધીનગર શહેર વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી મંજુરી મેળવવા રસ ધરાવતા વ્યક્તિઓ કે સંસ્થાઓએ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, ગાંધીનગર મારફતે અરજી કરવા આ યાદીથી જણાવવામાં આવે છે. મંજુરી મેળવવાનું અરજી ફોર્મ ભરતી વખતે નીચે મુજબના સૂચનો ધ્યાને રાખવા વિનંતી છે.

(૧) હંગામી પરવાનાની અરજી ઉપર રૂા.૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.

(૨) અરજીની સ્કૃટીની ફી રૂ. ૩૦૦/- તથા પ્રોસેસ ફી રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૮૦૦/- જરૂરી ફી સદર હેડ ” ૦૦૭૦, ઓ.એ.એસ.સી. સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અથવા બેન્ક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે.

(3) ગાંધીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટ (સ્ટોલ) સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ અથવા અધિક્ષક ઈજનેરશ્રી ગાંધીનગર તરફથી નિયત કરવામાં આવેલ સેક્ટર-૬ ખાતે ૩૧ પ્લોટો, સેકટર-૧૧ ખાતે ૩૨ પ્લોટો, સેક્ટર-૨૧ ખાતે ૩૧ તથા સેક્ટર – ૨૨ ખાતે ૪૧ સ્ટોલ માટે જ હંગામી મંજુરી આપવાની છે. જેથી જે તે સેકટર પુરતી જ સ્ટોલ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે. અરજીમાં મથાળે પસંદગીના સેક્ટરની વિગત અવશ્ય લખવાની રહેશે. અરજદાર ફક્ત કોઇપણ એકજ સેક્ટરમાં અરજી કરી શક્શે. એકથી વધુ અરજી કરેલ હોવાનું ધ્યાને આવશે તેઓની તમામ સ્ટોલ માટેની અરજીઓ આપોઆપ રદ્દ થયેલી ગણાશે.

(૪) જે પ્લોટ ફાળવાશે તેમાં જ ધંધો કરવાનો રહેશે. પ્લોટનું ભરેલ ભાડું રીફંડ મળશે નહિ.

(૫) પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઈટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા અરજદારે જાતે કરવાની રહેશે.

(૬) મંજુરીની શરતો પ્રમાણે આગ/અકસ્માત માટેની સાવચેતીના પગલાં માંગણીદારે લેવાના રહેશે. આમ છતાં કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી અરજદારની રહેશે. જરૂર જણાયે મંજુરી માટે અરજી કરનારે વિમો લેવાનો રહેશે.

(૭) અરજદારે ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરવા અધિકૃત કરી શકશે નહિ કે અન્યને વાપરવા આપી શકશે નહિ. સ્ટોલની ફાળવણી થયેથી પુરેપુરૂ ભાડુ જમા કરાવ્યા બાદ જ ફાળવેલ સ્ટોલમાં ધંધો શરૂ કરવાનો રહેશે. તેમજ ફાળવેલ જગ્યા સીવાયની વધારાની કોઇ જ જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

(૮) અરજદાર કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજુ કરવાનું રહેશે.

(૯) ફાયર ઓફિસરશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ જ પતંગ-દોરીનું વેચાણ શરૂ કરવાનું રહેશે.

(૧૦) ઉતરાયણ-૨૦૨૫ નિમિતે પતંગ–દોરી વિતરણ કરવા માટે અરજી ફોર્મ જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતેથી મેળવવાનું રહેશે. તેમજ તા.૨૦-૧૨-૨૦૨૪ થી તા.૩૦-૧૨-૨૦૨૪ દરમ્યાન કામકાજના ચાલુ દિવસોએ રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, સેક્ટર-૧૧, ગાંધીનગરમાં કચેરી સમય દરમિયાન અરજી રજુ કરવાની રહેશે.તથા અરજી ફોર્મ જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતેથી મેળવવાની રહેશે.

(૧૧) હંગામી પતંગ વિતરણની અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૦.૧૨.૨૦૨૪ ના ૧૭-૦૦ કલાક સુધી રહેશે. જે અરજી રજીસ્ટ્રી શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, સેક્ટર-૧૧, ગાંધીનગરમાં જ સંપુર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ રજુ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ ફોર્મ/અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.

 (૧૨) સરકારશ્રીના વખતો વખના નિયમો, સુચનાઓ તેમજ જાહેરનામાં જે વર્તમાન સમયમાં અમલમાં હોય તે તેમજ હવે પછી જે જાહેરનામું બહાર પાડવામાં આવે તેનો ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે.

(૧૩) હંગામી સ્ટોલ માટે લેવાની થતી તમામ સબંધિત ખાતાઓની પરવાનગી જે તે અરજદારે જાતે મેળવી લેવાની રહેશે.

(૧૪) કોઇ પણ પ્રતિબંધીત ચીજવસ્તુઓનું વેચાણ અથવા તેનો સ્ટોક રાખી શકશે નહીં એક વેચાણ કરી શકશે નહીં. અન્યથા તેઓની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

(૧૫) કોઈપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ. તેમ નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x