પી.એમ. ઈન્ટર્નશીપ રજીસ્ટ્રેશન તારીખ લંબાવવા બાબત
ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે.
જેમાં શૈક્ષણિક લાયકાત
(૧) એસ.એસ.સી ( ધોરણ-૧૦ ) (૨) એચ.એસ.સી ( ધોરણ-૧૨ ) (૩) આઈ.ટી.આઈ (૪) ડિપ્લોમા (૫) ગ્રેજ્યુએટ
તથા અન્ય શરતો
૧) ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ
૨) ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ.
૩) પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ. તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
૪) સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ના હોવી જોઈએ.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો
૧) ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ માહીના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક.
૨) માસિક ઈન્ટરશીપ એલાઉન્સ રૂ. ૫,૦૦૦ અને રૂ.૬,૦૦૦ મળવાપાત્રઅરજી કરવાની છેલ્લી તારીખ :
પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી ૩૧/૦૩/૨૦૨૫ સુધી સુધીમાં ઉમેદવાર પોતાની જાતે અરજી કરી શકશે તેમજ અરજી કરવાં જીલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર રૂબરૂ સંપર્ક કરવો.
અરજી કરવા માટેની વેબસાઈટ : www.pminternship.mca.gov.in
પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત
પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી ત્યારબાદ ફરી લોગીન કરી ઈન્ટર્નશીપમાં અપ્લાય કરવું.
અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો.
અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક અકાઉન્ટની વિગત રાખવી.
અરજી સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા. ૧) આધાર કાર્ડ ૨) શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવા તેમજ અન્ય માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ”સી” વિંગ, પહેલો માળ સહયોગ સંકુલ, પથીકાશ્રમની બાજુમાં, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર નો રૂબરૂ સંપર્ક કરવો અથવા 0૭૯-૨૩૨૨૦૯૬૬ ઉપર ફોન કરવો. પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોએ માહિતી અત્રેની કચેરીનાં કોન્ટેક્ટ નંબર 0૭૯-૨૩૨૨૦૯૬૬ પર અવશ્ય જાણ કરવાની રહેશે.