ગાંધીનગરમાં કોરોના કેસમાં વધારો: 3 નવા દર્દીઓ સાથે કુલ 5 સક્રિય કેસ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં પણ નવા ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ નવા કેસ સાથે ગાંધીનગરમાં કોરોનાના કુલ સક્રિય કેસનો આંકડો પાંચ પર પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, નવા નોંધાયેલા દર્દીઓ સેક્ટર-૩, સેક્ટર-૧૯ અને રાંદેસણ વિસ્તારના છે. આ તમામ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરના નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.