गांधीनगर: सखी वन स्टॉप सेंटर ने 15 वर्षीय किशोरी को परिवार से मिलाया
ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિભાગ મંત્રાલય દ્વારા પુરસ્કૃત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. આ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર ઓડિટોરિયમ હોલ પાછળ, સિવિલ કેમ્પસ, સેક્ટર ૧૨, ગાંધીનગર ખાતે કાર્યરત છે. ગાંધીનગર જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઘરથી ભુલી પડેલી ૧૫ વર્ષની બાળકી ને ગાંધીનગર રેલવે પોલિસ દ્વારા સોંપવામાં આવી હતી.
સેન્ટરમાં આવ્યા સમયે બાળકી અત્યંત ગભરાયેલી તથા માનસિક અસ્થિર હાલતમાં જોવા મળી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા બાળકીને શાંતિપૂર્ણ વાતાવરણમાં રાખી તેની સાથે વાતચીત કરવામાં આવી, જેમાં તેણે જણાવેલ કે આઠ વર્ષ અગાઉ તેના માતા-પિતાના અવસાન બાદ તે કાકા-કાકી સાથે રહેતી હતી, અને કાકી દ્વારા માર મારવામાં આવતો હોવાને કારણે તે ઘરેથી પરીવાર ના સભ્યોને જાણ કર્યા વિના નીકળી ગયેલ હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા બાળકીને આશ્રય આપ્યા બાદ તેને સરકારશ્રીના નિયમ મુજબ તબીબી તપાસ કરાવી અને જરૂરી ચિજ વસ્તુઓ પુરી પાડવામાં આવી હતી.ત્યારબાદ બાળકીને બાળ સંરક્ષણ સમિતિ (ચાઈલ્ડ વેલફેર કમિટી) સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા સતત ચાર દિવસ સુધિ દિકરી સાથે ખુબજ પ્રેમ અને લાગણીસભર વાતચિત બાદ દિકરી ભાવુક બનીને રડી પડી અને તેના દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે,તેના માતા-પિતા હયાત છે અને ઉત્તર પ્રદેશના તેના વતન માં રહે છે. તેણીને પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો છે. છેલ્લા છ મહિનાથી ગામમાં પાણીપુરીનુ વેચાણ કરવા આવતા યુવક સાથે તેનો પ્રેમસબંધ બંધાયો હતો. યુવક પોતાના વતનમાં પરત જતાં બાળકી તેને શોધવા અને તેની સાથે લગ્ન કરવાના માટે ઘરેથી ૧૮ તારીખ ના રોજ નીકળી ગઈ હતી.
આ દરમિયાન રેલવે પોલીસને બિનવારસી હાલતમાં મળેલ અને રેલવે પોલીસ દ્વારા દિકરીને ગાંધીનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી હતી. આ હકીકત જાણ્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા બાળકી પાસેથી તેના પરિવારનું સરનામું મેળવી ઉત્તર પ્રદેશન(UP) ના પોલીસ સ્ટેશન દ્વાર મદદ મેળવી તેના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો, અને તેના થકી દિકરીનો મોટો ભાઈ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી ચાઈલ્ડ વેલફેર કમિટીની હાજરીમાં બાળકીને સુરક્ષિત રીતે પોતાના ઘરે લઈ ગયેલ છે. પરિવાર માં પરત જતાં બાળકીને પરિવાર સાથે મોકલતી વખતે સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા તેના પરિવારજનોને દિકરી સાથે શારિરિક, માનસિક કે કોઈપણ પ્રકારનો ત્રાસ ન આપવા અને બાળકીને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણમાં રાખવાની તેમજ તેની લાગણીસભર કાળજી લેવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકીને પણ કાઉન્સેલિંગ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે,તેણે કરેલી ભૂલ ભવિષ્યમાં ફરી ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. પ્રેમ પ્રકરણની બાબત અહીં જ પૂર્ણ કરીને હવે પોતાના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરહે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રીતે પ્રેમીને મળવા માટે ઘરેથી નીકળી ગયેલી બાળકીને સખી વન સ્ટોપ સેન્ટર, ગાંધીનગર દ્વારા તેના પરિવાર ને શોધી ચાઈલ્ડ વેલફેર કમિટીની હાજરીમાં પરિવાર સાથે સુરક્ષિત અને સુખદ મિલન કરાવવામાં આવ્યું.

