ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના યુવાઓ માટે રોજગારીની ઉત્તમ તક

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે આગામી તા. ૨૯/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વાડી, વર્ધમાન સ્કૂલની સામે, નરોડા રોડ, દહેગામ, જિ. ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધોરણ ૧૦-૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તેમજ કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા શારીરિક રીતે સશક્ત કોઈપણ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લઇ શકશે.

ઇચ્છુક ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનો જોબફેર આઇ.ડી JF523424496 છે. ભરતીમેળામાં આવતી વખતે ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, તેની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ હોય કે ન કરાવેલ હોય, તેવા માત્ર ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *