ગાંધીનગરના અગ્રણી પત્રકાર ભરતસિંહ રાઠોડ દ્વારા “કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” સાપ્તાહિકનો પ્રારંભ
મિડીયા જગતમાં શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
ગાંધીનગર : ગાંધીનગરના જાણીતા અને સક્રિય પત્રકાર ભરતસિંહ રાઠોડ દ્વારા ગાંધીનગર ખાતેથી “કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” નામના નવા સાપ્તાહિક સમાચારપત્રનો પ્રારંભ કરવામાં આવતા સમગ્ર અખબારી અને મિડીયા જગતમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહી સમાજજીવનના વિવિધ પ્રશ્નોને વાચા આપતા ભરતસિંહ રાઠોડના આ નવા પ્રયત્નને મિડીયા ક્ષેત્ર સાથે સંકળાયેલા તંત્રીઓ, પત્રકારો, લેખકો અને સામાજિક આગેવાનો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
“કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” સાપ્તાહિકના પ્રારંભને ગાંધીનગરના મિડીયા ક્ષેત્ર માટે એક સકારાત્મક અને સર્જનાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક સમયમાં નિર્ભીક, નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારત્વની જરૂરિયાત વધુ અનુભવી રહી છે ત્યારે ભરતસિંહ રાઠોડ દ્વારા શરૂ કરાયેલું આ સાપ્તાહિક સમાચારપત્ર જનસામાન્યના પ્રશ્નો, સામાજિક મુદ્દાઓ, શાસન-પ્રશાસનની કામગીરી તથા પ્રજાજીવન સાથે જોડાયેલા વિષયોનું અસરકારક પ્રતિબિંબ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અવસરે ગાંધીનગરથી પ્રકાશિત થતા અગ્રણી દૈનિકો અને સમાચારપત્રોના તંત્રીઓ તથા પત્રકારોએ ઉપસ્થિત રહી નવા સાપ્તાહિકને શુભકામનાઓ પાઠવી હતી. ગાંધીનગરથી પ્રકાશિત થતા “કિસાન રાજ” દૈનિકના તંત્રી ઈલેવાન ઠાકર, “લોકાર્પણ” દૈનિકના તંત્રી ગૌરાંગ પંડ્યા, “શબ્દયુદ્ધ” સમાચારપત્રના તંત્રી અરૂણ રાજપૂત, “ક્રાઈમ તહેલકા” સાપ્તાહિકના તંત્રી દિનેશભાઈ કલાલ, “વાઈબ્રન્ટ સમાચાર” દૈનિકના તંત્રી ધર્મેન્દ્રસિંહ ચાવડા, “ક્રાઈમ એન્ડ જસ્ટીસ”ના સહતંત્રી બિરેનભાઈ પટેલ, “છબિલેખન”ના તંત્રી પલ્કેશ જાની તેમજ “ગુજરાત ભાસ્કર”ના તંત્રી હાર્દિક જાની સહિતના અગ્રણી મિડીયા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ભરતસિંહ રાઠોડને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉપસ્થિત મિડીયા આગેવાનોએ જણાવ્યું હતું કે, આજના સમયમાં પ્રિન્ટ મિડીયા અનેક પડકારો વચ્ચે પોતાની વિશ્વસનીયતા અને પ્રભાવ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. આવી સ્થિતિમાં નવા સમાચારપત્રની શરૂઆત કરવી એ માત્ર વ્યવસાયિક પહેલ નહીં પરંતુ સમાજપ્રતિ જવાબદારી નિભાવવાનો પણ એક સકારાત્મક પ્રયાસ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે “કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” જનતાના પ્રશ્નોને વાચા આપતું, પ્રજાની લાગણીઓ વ્યક્ત કરતું અને લોકહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપતું એક લોકપ્રિય તથા વિશ્વસનીય સાપ્તાહિક બની રહેશે.
આ પ્રસંગે ક્રાઈમ તહેલકા સાપ્તાહિક અખબારના તંત્રી એવા શ્રી દિનેશભાઈ કલાલે ભરતસિંહ રાઠોડને તેમના નવા સાહસને બિરદાવતા અભિનંદન આપ્યા હતા અને દિન દો ગુની, રાત ચૌગુની સફળતા હાંસલ કરો એવી શુભકામનાઓ પાઠવી હતી. આજના કપરા સમયમાં મીડિયામાં ટકી રહેવું એ ખૂબ જ ચેલેન્જભર્યું કાર્ય છે અને આપ આ ચેલેન્જમાં સફળ સાબિત થશો એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
તંત્રી ઈલેવાન ઠાકરે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પત્રકારત્વ માત્ર સમાચાર આપવાનું સાધન નથી, પરંતુ સમાજને જાગૃત બનાવવાનો એક શક્તિશાળી માધ્યમ છે. ભરતસિંહ રાઠોડનો આ પ્રયાસ મિડીયા ક્ષેત્રમાં નવી ઉર્જા અને સર્જનાત્મકતા લાવશે. તેમણે “કેપીટલ કોર્પોરેશન ન્યુઝ”ને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
અરૂણ રાજપૂતે જણાવ્યું હતું કે આજના સમયમાં મિડીયા સમાજનો મહત્વપૂર્ણ સ્તંભ છે. પત્રકારત્વમાં નિષ્પક્ષતા અને સત્યનિષ્ઠા જ સૌથી મોટું બળ છે અને ભરતસિંહ રાઠોડ આ મૂલ્યોને કેન્દ્રમાં રાખીને સફળતાપૂર્વક કાર્ય કરશે તેવી તેમને પૂરી આશા છે.
ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે નવા યુગમાં ડિજિટલ અને પ્રિન્ટ બંને મિડીયાનો સમન્વય જરૂરી બની ગયો છે. “કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” આ બંને માધ્યમો દ્વારા લોકો સુધી સચોટ અને વિશ્વસનીય માહિતી પહોંચાડવામાં સફળ થશે.
બિરેનભાઈ પટેલ, પલ્કેશ જાની અને હાર્દિક જાનીએ પણ પોતાના શુભેચ્છા સંદેશોમાં જણાવ્યું હતું કે મિડીયા ક્ષેત્રમાં નવી શરૂઆત હંમેશા આશાવાદ અને સકારાત્મક ઉર્જા લઈને આવે છે. ભરતસિંહ રાઠોડનો આ પ્રયત્ન પણ મિડીયા જગતમાં એક નવી ઓળખ સ્થાપિત કરશે અને પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
ગૌરાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે લોકહિત અને સત્યનિષ્ઠા આધારિત પત્રકારત્વની પરંપરા સતત મજબૂત બને તે સમયની માંગ છે. નવા સાપ્તાહિક દ્વારા ગાંધીનગર સહિત રાજ્યના પ્રશ્નોને યોગ્ય પ્રાથમિકતા મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી
“કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” સાપ્તાહિકના પ્રારંભને ગાંધીનગરના મિડીયા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉમેરા તરીકે જોવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં આ સમાચારપત્ર લોકપ્રિયતા પ્રાપ્ત કરીને પત્રકારત્વ ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
. આ સમગ્ર પ્રસંગ દરમિયાન મૈત્રીપૂર્ણ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પરસ્પર સંવાદ દ્વારા મિડીયા ક્ષેત્રના વર્તમાન પડકારો, પત્રકારત્વની જવાબદારીઓ તથા ભવિષ્યની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

