ગાંધીનગર

ગાંધીનગર શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તથા અકસ્માત નિવારણ અર્થે ભારે વાહનો માટેના વૈકલ્પિક રૂટમાં સુધારો જાહેર

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે, અકસ્માતો અટકે તથા જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર વિપુલ ઠક્કર દ્વારા ભારે વાહનો માટેના વૈકલ્પિક રૂટમાં સુધારો કરવામાં આવ્યો છે. પોલીસ અધીક્ષક, ગાંધીનગર દ્વારા રજૂ કરાયેલ દરખાસ્ત મુજબ, ગાંધીનગર શહેરના ગ-રોડ, ખ-રોડ તથા રોડ નં.૭ પર ભારે વાહનોના પ્રવેશથી ટ્રાફિકનું ભારે ભારણ રહેતું હતું અને ગંભીર અકસ્માતોની શક્યતા રહેતી હતી. જેને ધ્યાને લઈ સવારના ૦૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં છે.

સુધારેલા વૈકલ્પિક રૂટની વિગતો
જૂનો રૂટ: વિજાપુર, માણસા તથા મહેસાણા તરફથી આવતા ભારે વાહનો જે અગાઉ ઉવારસદ ગામ થઈ ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી તારાપુર બ્રિજ, સરગાસણ બ્રિજ, ઘ-૦ સર્કલ થઈ શાહપુર સર્કલથી બાપાસીતારામ સર્કલ થઈ લવારપુર બ્રિજ તરફ થઈ હિંમતનગર તેમજ અમદાવાદ નાના ચિલોડા તરફ પ્રવેશ કરતા હતા. નવો સુધારેલો રૂટ: આ વાહનો હવેથી ઉવારસદ બ્રિજ નીચેથી સીધા બાલાપીર સર્કલ થઈ ઝુંડાલ સર્કલ થઈ એસ.પી. રિંગરોડ થઈ કચ્છ, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત તરફ જઈ શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *