રમતગમતરાષ્ટ્રીય

વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ માટે ભારતીય ટીમનું થયું એલાન

ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. સીમિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્માને બંન્ને સિરીઝમાં રાખવામાં આવ્યો છે. પહેલા તેને સિરીઝથી આરામ આપવાની વાત સામે આવી હતી.
બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા વધુ એક ઘરેલૂ સિરીઝ માટે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝનો સામનો કરવાનો છે. વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસની શરૂઆત 6 ડિસેમ્બરથી થશે. ગુરૂવારે કોલકત્તામાં ભારતીય પસંદગી સમિતિએ ત્રણ મેચોની ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
ટી20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
વનડેઃ ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x