ગાંધીનગરગુજરાત

અમદાવાદ : ચેકિંગના બહાને 65 લાખનું સોનુ લૂંટી શખ્સો ફરાર, પોલીસે બનાવ્યા સ્કેચ

અમદાવાદ :

ગુરુવારે શહેરમાં લોકો રસ્તા પરથી પસાર થતા હતાં તેવામાં જ એક વેપારી કે જે મુંબઈથી ધંધાર્થે આવ્યા હતા તેને લૂંટી લેવાયા હતા. પહેલા નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર પોલીસે વેપારી પાસેથી 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. બાદમાં અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને 65 લાખનું સોનુ લૂંટી શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે પોલીસને અનંક શંકા-કુશંકા છે, ત્યારે આરોપીને ઝડપવા માટે પોલીસે સ્કેચ જાહેર કર્યા છે.
મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી સોનું લઈને અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ પર તેમની બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. આ બાબતે વેપારીએ પુરાવા પણ આપ્યા હતા. નવીનભાઈના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે 4 લાખ રૂપિયા માંગ્યા હતાં. બાદમાં બે લાખની માંગણી કરી 25 હજાર રૂપિયા લઈને વેપારીને જવા દીધા હતા. બાદમાં અંજલી બ્રિજ પર ચેકિંગના બહાને બે લોકોએ વેપારી પાસે રહેલું 65 લાખનું સોનું લૂંટી લીધું હતું.

આ મામલે ફરિયાદીએ અલગ અલગ થિયરી કહેતા પોલીસ પણ મૂંઝવણમાં છે. બીજી તરફ જે પોલીસકર્મીઓ પર આક્ષેપ થઈ રહ્યો છે તેની તપાસ એસપી કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે લૂંટની દિશામાં તપાસ કરીને બે શકમંદોના સ્કેચ જાહેર કર્યા છે. સ્કેચ બાબતે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ઇરાની ગેંગે આ ગુનો આચર્યો હોઈ શકે છે. બીજી તરફ વિશાલા સર્કલ સિવાય આખા રૂટ પર સીસીટીવી બંધ હોવાથી પોલીસ ગોથે ચડી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x