ગાંધીનગરગુજરાત

બેટી બચાવો અભિયાન ક્યાં છે..? ભાજપ યુવા મોરચા સાથે સંકળાયેલા યુવાને દુષ્કર્મ આચર્યું

અમદાવાદ
બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઘરકામ કરતી મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી બીજેપીના યુવા મોરચા સાથે સંકળાયેલો હોવાનું માલુમ પડ્યું છે. બાપુનગર પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને યુવકની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલાના 10 વર્ષ પહેલા એક પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન થયા હતા. પરિવારની સ્થિતિ સારી ન હોવાથી મહિલા આસપાસના ઘરોમાં ઘરકામ કરતી હતી. છેલ્લા બે વર્ષથી તેણી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અંકુર ઉર્ફે જોજી યોગેશભાઈ શર્માના ઘરે પણ ઘરકામ કરતી હતી.
બાપુનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાને જન્મથી ડાબી આંખે દેખાતું નથી અને તેને છ ટકા વિકલાંગતા છે. તેના પતિ પણ છેલ્લા દસ વર્ષથી અંધ છે. ગત ઓક્ટોબર માસમાં તે જોજી ઉર્ફે અંકુરના ઘરે કામ કરવા ગઇ હતી ત્યારે તેમના માતાપિતા બહાર ગયા હોવાથી અંકુરે એકલતાનો લાભ લઇને આ મહિલાને રૂમમાં ભોંયતળિયે પાડી દઇ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.મહિલાએ ડરના માર્યા આ વાત કોઈને કરી ન હતી. જોકે, તેણી ઉદાસ રહેતા તેના સાસુને શંકા પડી હતી. સાસુએ આ બાબતે પૂછપરછ કરતા પુત્રવધૂએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં પરિવારે બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x