ગુજરાત

વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે શરૂ કર્યું રાહત રસોડું.

અમરેલી :
સમગ્ર ભારતમાં કોરોનાનો પ્રકોપ દિવસે અને દિવસે વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાને માત આપવા માટે જનતા કરફ્યુ અને દેશમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઘણા લોકો કોરોનાના ડરથી શહેર છોડીને પોતાના વતન તરફ ચાલતા જતા જોવા માટે મળતા હોય છે. ઘણા પરિવારો એવા પણ છે કે જે રોજ લાવે અને રોજ ખાતા હોય છે ત્યારે સ્થાનિક સંસ્થાઓ ગરીબો અને જરૂરિયાત મંદોને ફૂડ પેકેટ અને અનાજની કીટ સહીત જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપી રહી છે.

ગુજરાત કોંગ્રેસ વિપક્ષના નેતા અને સ્થાનિક ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા પણ ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ભૂખ્યા ન સુવે તે અભિગમથી તેમના દ્વારા રાહત રસોડું શરુ કરવામાં આવ્યું છે. અમરેલી, કુંકાવાવ, વડિયા ખાતે રાહત રસોડું શરુ કરવામાં આવ્યું છે અને આ રાહત રસોડામાં ભોજન તૈયાર કરી સ્લમ વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પરેશભાઈ ધાનાણીનો અમરેલીમાં પૂર જેવી પરિસ્થિતિ હોય કે રાહત દુષ્કાળ પડ્યો હોય કે સેવા કાર્ય હોય તેમાં હંમેશા સકારાત્મક અભિગમ રહ્યો છે.

પરેશ ધાનાણીએ રાહત રસોડા અંગે જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ના સુવે તે સૌ કોઈ ધ્યાન રાખે તે હેતુથી આ શરુ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ સામે લડવા માટે સૌ એક બનીને કાર્યો કરીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x