ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 32000ને પાર, 626 નવા કેસ, 19 દર્દીનાં મોત.

અમદાવાદ :

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 24 કલાક દરમિયાન રાજ્યમાં 19 દર્દીનાં મોત થયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાંથી 440 દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘરે પરત પણ ગયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 236 અને સુરતમાં 217 કેસ નોંધાયા છે. અત્યારસુધી અમદાવાદ શહેરમાં જ કોરોનાના 200 કરતાં વધુ કેસ નોંધાયા હતા પરંતુ આજે પહેલી વાર સુરત જિલ્લામાં કોરોના વાયરસના કુલ 217 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે. આમ અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો 32,000ને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં રાજ્યમાં 32023 કેસ નોંધાયા છે જે પૈકીના 23,248 સાજા થઈ ગયા છે. જ્યારે અમદાવાદમાં આજના કેસ સાથે અત્યારસુધીમાં 20,716 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 236, સુરતમાં 217, વડોદરામાં 50, પાટણમાં 20, રાજકોટમાં 11, આણંદમાં 11, મહેસાણામાં 10, અમરેલીમાં 10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, અન્ય રાજ્યના 8, ખેડાના 7, જામનગરમાં 6, અરવલ્લીમાં 6, ભાવનગરમાં 4, પંચમહાલમાં 3, ગીર સોમનાથમાં 3, રાજકોટ શહેરમાં 2, ગાંધીનગરમાં 2, કચ્છમાં 2, જૂનાગઢમાં 2, નવસારીમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ શહેરમાં 2, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, બોટાદમાં 1, વલસાડમાં 1 એમ કુલ 626 કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x