ગુજરાત

રાજ્યપાલે કર્મચારીઓ સાથે રાજભવનમાં સ્નેહસંમેલન યોજ્યું

ગાંધીનગર :

72 મા સ્વાતંત્ર્ય દિન પર્વે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને રાજભવનમાં સાંજે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, લેડી ગર્વનર શ્રીમતી અવિનાશ કોહલી અને શ્રીમતી અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ સંમેલનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, મુખ્ય સચિવ, ભારતીય સેનાના ત્રણે પાંખોના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ સચિવો, પદાધિકારીઓ, સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x