ગાંધીનગર

આહીર સમાજના તેજસ્વી તારલાઓનો ર૦ મો વાર્ષિક સન્માન સમારંભ યોજાશે.

ગાંધીનગર :

આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર આહીર સમાજનો ર૦ મો વિદ્યાર્થી સન્માન સમારંભ તા.ર૩મી સપ્ટેમ્બર, રવિવારના રોજ ટાઉન હોલ ખાતે યોજાનાર છે. આ માટે ગાંધીનગરમાં વસવાટ/અભ્યાસ કરતાં આહીર સમાજના વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ નકલની પાછળ પુરું નામ-સરનામું તથા મોબાઇલ નંબર લખીને તા.૧૨.૯.ર૦૧૮ સુધીમાં આહીર વિદ્યાર્થી ભવન, સેકટર-૧૫, ગાંધીનગર ખાતે રાખેલ ડ્રોપ-બોક્ષમાં પહોંચાડવાની રહેશે. ૨૦૧૭-૧૮ ના શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીએ ગાંધીનગરમાં અભ્યાસ/વસવાટ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટ જ મોકલવાની રહેશે.
આહીર સમાજના જે પરિવારો ગાંધીનગરમાં નવા આવ્યા હોય તેમણે તેમની વિગતો (૧) શ્રી નીતિનભાઇ ભાટીયા મો.૯૮૨૫૨-૧૩૪૨૪ અથવા (ર) શ્રી લખુભાઇ જોગલ મો.૯૯૭૮૪-૦૭૫૬૦ ને તુરત જ પહોંચાડવા સંસ્થાએ અપીલ કરી છે.
ગાંધીનગર આહીર સમાજના કોઇપણ સભ્યને નવી નિમણુંક-પસંદગી-પ્રમોશન કે નિવૃત્તિ માટે (૧) શ્રી લખુભાઇ જોગલ, મો.૯૯૭૮૪-૦૭૫૬૦ (ર) શ્રી અશ્વિનભાઇ જાટીયા, મો.૯૮૨૪૬-૩૯૩૭૫ અથવા (૩) શ્રી જશુભાઇ કવાડ, મો.૯૯૨૪૦-૯૯૨૭૩ ને જરૂરી વિગતો તા.૧૨.૯.ર૦૧૮ સુધીમાં પહોંચાડવાની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x