ગુજરાતધર્મ દર્શન

ભાદરવી પૂનમના મેળાને લઇ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

શક્તિપીઠ અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. ભાદરવી સુદ આઠમથી લઈને ભાદરવી પૂનમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. આ ફેરફાર ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. ભાદરવી સુદ આઠમ તારીખ 23/09/23થી લઈને ભાદરવી પૂનમ તારીખ 29/09/23 સુધી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી અંબાજીનો મેળો યોજાશે.આ દરમિયાન અંબાજી મંદિરમાં સવારે 6 વાગ્યે આરતી થશે. બાદમાં સાડા અગિયાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકાશે. બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. ત્યારબાદ સાંજે સાત વાગ્યે આરતી કરાશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x