ગુજરાતધર્મ દર્શન

ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, 11ના મોત, અનેક ઘાયલ

ગાંધીનગર :

ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં જયપુર નેશનલ હાઇવે નં.૨૧ ભરતપુર પાસે હાઈ વે પર ભયાનક અકસ્માત થયો છે. જેમાં ભાવનગરના 11 યાત્રાળુઓના મોત થયા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.

રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેલર અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે ઉપર બસ ઉભી હતી અને તેજ ગતિ એ આવી રહેલા એક ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટના એટલી ભયાનક હતી કે વિસ્ફોટ નો અવાજ દૂર દૂર સુધી પહોંચ્યો હતો. વિસ્ફોટ નો અવાજ સાંભળીને આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરો ને બહાર કાઢ્યા હતા.

ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા. આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. ભરતપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલો અને મૃતકોને આરબીએમ જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા.

રાજસ્થાન અકસ્માતમાં મૃતકોના નામ:

અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ

નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ

લલ્લુભાઈ દયાભાઈ ગયાણી

ભરતભાઈ ભીખાભાઈ

લાલજીભાઈ મનજીભાઈ

અંબાબેન જીણાભાઈ

કંબુબેન પોપટભાઈ

રામુબેન ઉદાભાઈ

મધુબેન અરવિંદભાઈ દાગી

અંજુબેન થાપાભાઈ

મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x