વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાની સામે આવી પહેલી પ્રતિક્રિયા
ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મળેલી જાણકારી અનુસાર, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આને લઈ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. બીજી તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, “આ વાતને પચાવવી મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચોમાં નહીં રમી શકું. હું પૂરી ભાવના સાથે ટીમ સાથે રહીશ અને દરેક બોલ પર તેમને પ્રોત્સાહિત કરીશ. દરેકની શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન બદલ આભાર. આ ટીમ ખાસ છે અને મને ખાતરી છે કે અમે દરેકને ગૌરવ અપાવીશું.” હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.