ahemdabad

અમદાવાદમાં આગામી 10 અને 11 એપ્રિલે ચેટીચાંદ અને ઈદની જાહેર રજા હોવાથી તમામ સ્કૂલો બંધ રહેશે

રાજ્યમાં શૈક્ષણિક કેલેન્ડરમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય તેમજ જાહેર રજાઓ અને વેકેશન અંગે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. શૈક્ષણિક કેલેન્ડરમાં ચેટીચાંદ અને ઈદની જાહેર રજાઓ હોવા છતાંયે અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેનો વિરોધ થયો હતો. અને કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાને રાખીને DEO દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, આગામી 10 અને 11 એપ્રિલે ચેટીચાંદ અને ઈદની જાહેર રજા હોવાથી તમામ સ્કૂલો બંધ રહેશે અને સ્કૂલોમાં શિક્ષણકાર્ય પણ બંધ જ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x