ahemdabadગુજરાત

વિદ્યાર્થીના હિતમાં શિક્ષકની દંડાત્મક કાર્યવાહી આત્મહત્યા દુષ્પ્રેરણાનું કારણ ગણી ન શકાય: ગુજરાત HC

ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં કાર્યવાહી આત્મહત્યા દુષ્પ્રેરણાનું કારણ નથી. કોર્ટે કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં શિક્ષક આકરા પગલા લેતા હોય છે. શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત ઘણું મહત્વનું છે. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2016ના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સંવેદના પરિવાર સાથે પણ નિર્દોષને સજા વ્યાજબી નથી. વાસ્તવમાં વર્ષ 2016માં સુરતમાં એક શિક્ષકે વિદ્યાર્થીને તેના ભણતર સંબંધે લાફો માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને કોઇ કારણોસર ખોટું લાગી આવતા તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે કોર્ટે કહ્યું હતું કે કોર્ટની સંવેદના પરિવાર સાથે હોય તો પણ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વ્યાજબી નહી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x