રાષ્ટ્રીય

કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળે તો રાહુલ ગાંધીએ પીછેહટ કરવા અંગે વિચારવું જોઈએ: પ્રશાંત કિશોર

રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસને કેટલીક સલાહ આપી છે. તેમણે કહ્યું કે- જો કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો નહીં મળે તો રાહુલ ગાંધીએ પીછેહટ કરવા અંગે વિચારવું જોઈએ. કિશોરે કહ્યું કે- રાહુલ તમામ વ્યાવહારિક ઉદ્દેશ્યો માટે પોતાની પાર્ટી ચલાવી રહ્યાં છે.

છેલ્લાં 10 વર્ષમાં અપેક્ષિત પરિણામ ન આપવા છતાં ન તો તેઓ રસ્તેથી હટી રહ્યાં છે કે ન તો કોઈ અન્યને આગળ વધવા દે છે. તેમણે કહ્યું- મારા મત મુજબ આ પણ અલોકતાંત્રિક છે. તેમણે વિપક્ષી પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે એક યોજના તૈયાર કરી હતી, પરંતુ તેમની રણનીતિને લાગુ કરવા અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે મતભેદને પગલે તેઓ અલગ થઈ ગયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x