ગુજરાત

શ્રી હનુમાનજી સકલ કલા ગુણધામ:પુ.મોરારિબાપુ તલગાજરડામાં હનુમંત મહોત્સવ અને એવોર્ડ સમારોહ સંપન્ન

પ્રતિવર્ષ હનુમાન જયંતીના પાવન પર્વના અવસરે યોજાતો હનુમંત મહોત્સવ ચાલુ વર્ષે 47 માં મણકા સુધી પહોંચ્યો હતો. ચાલુ વર્ષે આ આ મહોત્સવ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે તારીખ 21 થી પ્રારંભ થઈને તારીખ 23 એપ્રિલના ચૈત્ર સુદ પૂનમના દિવસે પુ. મોરારિબાપુની પાવન સંન્નીધિથી અને તેઓના આશીર્વાદથી સંપન્ન થયો.

આ મહોત્સવમાં 21 તારીખના રોજ રાજેન્દ્ર પ્રસન્નાનું શાસ્ત્રીય બાંસુરીવાદન અને પડિત વિજય ઘાટેનું શાસ્ત્રીય તબલા વાદન પ્રસ્તુત થયું. તારીખ 22 ના રોજ સુશ્રી પદ્મા તલવારકરનું શાસ્ત્રીય ગાયન રજૂ થયું. 23 મીના હનુમાન જયંતીના પવિત્ર અવસરે ચિત્રકૂટ ધામમાં સવારે 8-00થી 9-00 સુધી સુંદરકાંડનો પાઠ થયો. ત્યારબાદ દેશભરના વિવિધ કલાના સાધકોને બિરદાવતો એવોર્ડ સમારોહ પુ મોરારિબાપુના શુદ્ધ વરદ હસ્તે સંપન્ન થયો. જેમાં આજે આ કલા સાધકોને એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવી.જેમના નામો નીચે મુજબ છે.
➖હનુમંત એવોર્ડ, વિદુષી પદ્મા તલવલકરને (ગાયન)➖ હનુમંત એવોર્ડ, પંડિત રાજેન્દ્ર પ્રસન્નાને (વાદ્ય સંગીત)
➖ હનુમંત એવોર્ડ, પદ્મશ્રી નલીની – પદ્મશ્રી કમલીની ને (કથક નૃત્ય)
➖ હનુમંત એવોર્ડ, પદ્મશ્રી વિજય ઘાટેને (તાલવાદ્ય તબલા)
➖ નટરાજ એવોર્ડ, રાજેશભાઈ કુકરવાડિયાને (ભવાઈ)
➖ નટરાજ એવોર્ડ, કપિલદેવ શુક્લ (ગુજરાતી રંગમંચ, ભવાઈ)
➖ નટરાજ એવોર્ડ, રૂપા ગાંગુલીને (હિન્દી TV સીરીયલ)
➖ અવિનાશ વ્યાસ એવોર્ડ, શ્રીમતી આરતી સૌમિલ મુનશીને (સુગમ સંગીત)
➖ સમાજસેવા માટે નો સદભાવના પુરસ્કાર રામ પુનીયાને
➖ વાચસ્પતિ પુરસ્કાર, વિજય પંડ્યાને (સંસ્કૃત ભાષાની સેવા માટે)
➖ ભામતી પુરસ્કાર, ડૉ. ઊર્મિ સમીર શાહને (સંસ્કૃત)
➖ કૈલાશ લલિત કલા એવોર્ડ, પરમાનંદ દલવાડી ને (ફોટોગ્રાફી) આ રીતે કુલ 12 પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા. જેમાં પ્રસસ્તી પત્ર સુત્રમાલા અને રોકડ પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા.
પુ.મોરારિબાપુએ આ અવસરે જણાવ્યું કે મારા માટે પાંચ દિવસો ખૂબ મહત્વના છે. જેમાં શિવરાત્રી, રામ નવમી, હનુમાન જયંતી જન્માષ્ટમી અને ગુરુપૂર્ણિમાનો સમાવેશ થાય છે. હનુમાનજી મહારાજની સાથે ચાર અંક વધુ જોડાયેલો છે. જેમાં આપણે ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ,કામ, મોક્ષને ગણી શકીએ. ચાર કર્મો ને પણ તેમાં સમાવિષ્ટ કરી શકીએ. હનુમાનજી મહારાજ એ સ્વયં શંકરના રુદ્ર અવતાર છે. તેથી તેનું સતયુગ,ત્રેતા યુગ, દ્વાપરયુગ અને કલયુગમાં પણ અલગ અલગ રીતે મહત્વ છે. કલયુગમાં હનુમાનજીની હાજરી કથામાં હોય છે. હનુમાનજી મહારાજ સકલ કલા ગુણધામ છે. તેથી અમોને આ બધાં જ કલા સાધકોની સાધનાને વંદન કરવાનો અવસર આજના દિવસે પ્રાપ્ત થાય છે એ આપણા માટે સૌ માટે આનંદની વાત હોય છ. આપ સૌ માટે પુનઃ તે વાતનો રાજીપો વ્યક્ત કરું છું.
આજના કાર્યક્રમમાં મહાભારત સીરીયલમા દ્રોપદીના પાત્રમા કામ કરી ચૂકેલા રૂપા ગાંગુલીજી ઉપસ્થિત હતા અને તેમણે જ્યારે નટરાજ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે તે ખૂબ ભાવુક થઈને આ મંગલ અવસર માટે અહીં આવી શક્યાનો આનંદ વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ, ગાયક શ્રી હરિશ્ચંદ્રભાઇ જોશી એ કર્યું હતું.વ્યવસ્થા અને આયોજનમાં જયદેવભાઈ માંકડે સંભાળ્યું હતુ.દેશ-વિદેશના કલા સાધકો,સાહિત્ય રસિકો અને કથા પ્રેમીઓ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં.

FROM :–
હરેશ જોશી,
કુંઢેલી.
તળાજા, જી.ભાવનગર.
CELL 9925421010

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x