આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદતા ટ્રેડ વોર શરૂ

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર હવે વધુ તીવ્ર બન્યો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાનો 25% ટેરિફ લાદવાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે, જેના કારણે કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આ નવા નિયમો 27 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે.

આ નિર્ણય પાછળનું કારણ રશિયા પાસેથી ભારત દ્વારા ખરીદવામાં આવતું તેલ છે, જેનાથી યુક્રેન યુદ્ધ રોકી શકાતું નથી, તેવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. આ ટેરિફથી ભારતના મુખ્ય નિકાસ ક્ષેત્રોને મોટો ફટકો પડશે. ખાસ કરીને ટેક્સટાઇલ, રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદનો, રસાયણો અને ઓટો પાર્ટ્સ પર સૌથી વધુ અસર થશે. ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે, જે દેશના કુલ GDPનો 2.5% હિસ્સો છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો પર આ ટેરિફ લાગુ પડશે નહીં.

આ પરિસ્થિતિને જોતાં, ભારતીય વહીવટીતંત્ર પણ સક્રિય થયું છે. અમેરિકાના ટેરિફની સમીક્ષા કરવા અને જરૂરી પગલાં લેવા માટે આજે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *