ગુજરાત

વિક્રાંત પાંડેય કેન્દ્રમાં, અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે.નિરાલાની નિમણૂંક

અમદાવાદ
અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે.નિરાલાની નિમણૂંક કરવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે. આ ઉપરાંત પાણી પૂરવઠઆ બોર્ડના મેમ્બર સેક્રેટરી પણ રહી ચૂકયા છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેય કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ છે. તેમને આંતર રાજ્ય પરિષદના નિર્દેશક (ડાયરેક્ટર) નિમાયા છે.
વિક્રાંત પાંડે એ મૂળ તો ડોકટરની ડિગ્રી મેળવી છે. રાજસ્થાનના વતની અને એમબીબીએસની ડિગ્રી ધરાવતાં વિક્રાંત પાંડેને બધા મિલનસાર સ્વભાવના ગણાવે છે. 2005ની બેચના આઈએએસ ઓફિસર ડો. વિક્રાંત પુરૂષોતમ પાંડે 9મી મે 2016થી રાજકોટના કલેક્ટર છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામને પોતાના આદર્શ માને છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x