ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મોદીસરકાર વિરુદ્ધ 2 ડિસેમ્બરના રોજ ધરણા પર બેસશે પ્રહલાદ મોદી..!!

અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી કેન્દ્ર સરકાર વિરુદ્ધ 2 ડિસેમ્બરના રોજ ધરણા પર બેસશે. પ્રહલાદ મોદીનું કહેવું છે કે, પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ(PDS)માં અનિયમિતતા છે. સાથે જ તેમની માંગ છે કે ભારતને ભૂખમરા મુક્ત બનાવવામાં આવે. તેઓ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના સભ્યોની સાથે ધરણા પર બેસશે. પ્રહલાદ મોદી આ ફેડરેશનના વાઈસ પ્રેસિડેંટ છે.
આ ફેડરેશનના અંતગર્ત લગભગ 5,27,322 રેશન ડીલર્સ આવે છે. ફેર પ્રાઈસ શોપ લાયસન્સ હેઠળ રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, ચોખા, ઘઉં વહેંચવામાં આવે છે. ખાવાની વસ્તુઓની કિંમતોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને નિયંત્રણમાં લાવવા માટે રેશન ડિસ્ટ્રીબ્યૂશનની વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવાની જરૂર છે. પણ જે રીતે મોદી સરકાર સંસ્થાઓને ખાનગી કંપનીઓના હાથે સોંપી રહી છે તેનાથી વ્યવસ્થા પર ખતરો જોવા મળી રહ્યો છે. એવું ફેડરેશનનાં જનરલ સેક્રેટરીનું કહેવું છે.
ફેર પ્રાઈસ શોપના માલિકોનું પ્રતિનિધિત્વ કરનાર આ ફેડરેશનની માંગ છે કે, પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ(PDS)માં અનિયમિતતા અને ભારતને ભૂખમરામાંથી દૂર કરવામાં આવે. તેમની માંગ છે કે, ‘વન નેશન વન રેશન કાર્ડ’ સ્કીમને પરત લેવામાં આવે. રેશન કાર્ડની સાથે આધાર સીડિંગના પ્રવર્તનને બંધ કરવામાં આવે. ‘વન નેશન વન રેશન કાર્ડ’ સ્કીમમાં EPOS મશીનોને ફરજિયાત કરવામાં આવી છે, જેમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે લોકોને રેશન મળવામાં મુશ્કેલી ઊભી થાય છે.
ફેડરેશનના જનરલ સેક્રેટરી બિસમ્ભર બાસુએ જણાવ્યું કે, આ ધરણા 11 દિવસો સુધી ચાલશે. ફેડરેશને રેશન ડીલર્સની મિનિમમ સેલેરીમાં વધારો કરવાની માંગ કરી છે. તેમની માંગ છે કે મિનિમમ સેલેરી 30 રૂપિયા થવી જોઈએ. તેની સાથે જ મિનિમમ કમિશન પણ 250 રૂપિયા હોવું જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x