ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભાનું ટૂંકુ શિયાળુ સત્ર તોફાની બની રહેવાની શક્યતા, વિપક્ષ તૈયાર

ગાંધીનગર
સોમવારથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય શિયાળુ સત્ર શરુ થવા માટે જઈ રહ્યું છે. આ સત્રમાં ગુજરાતના વિભિન્ન પ્રશ્નો સંબંધે સરકારને ઘેરવા માટે વિપક્ષે તૈયારી શરુ કરી દીધી છે. બીજી તરફ સરકારે વિકાસ સંબંધી પોતાની કહેવામાં કમર કસી નાખી છે.
રાજ્ય માં સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રને લઈને આજે સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રસ ધારાસભ્યોની બેઠક પણ આયોજિત થઈ છે. જેમાં સત્રની ચર્ચા અને વિધાનસભા ઘેરવા પર ચર્ચા થશે. પરેશ ધાનાણી અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં વિધાનસભા ઘેરાવ અંગે ધારાસભ્યોની જવાબદારીની પણ સમીક્ષા થશે. સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનુ ટૂંક મળવા જઈ રહ્યુ છે. જેમાં રસ્તાઓ મુદ્દે સરકારને ગૃહમાં ઘેરશે તેવુ કોંગ્રેસે આયોજન કર્યુ છે. સોમવારે કોંગ્રેસ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાર્થીઓને સાથે રાખીને વિધાનસભાનો ઘેરાવ કરશે. ત્રિદિવસીય સત્રના ત્રીજા દિવસે કોંગ્રેસ બિનસચિવાલય પરીક્ષા રદ કરવામાં આવે તેવી ફ્લોર પર માંગ કરશે.
આ સિવાય વિધાનસભામાં રાજકોટ, વડોદરા, સુરતમાં થયેલા દુષ્કર્મ મામલે અને બિનસચિવાલય પરીક્ષા રદ મામલે વિપક્ષ વિધાનસભાનો ઘેરાવ કરશે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક જે પ્રમાણે નષ્ટ થયો છે તે પ્રમાણે વિપક્ષનો અંદાજ ખૂબ જ તીખો જોવા માટે મળી શકે છે. સત્રના પહેલા દિવસે પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બીજા દિવસની બેઠકમાં 26 નવેમ્બરને બંધારણ દિવસના રૂપે ઉજવવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સાથે જ 10 નવેમ્બરના રોજ ઘણા ધારાસભ્યો સાથે ચર્ચા અને વોટિંગ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x