આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, 34 નવા કેસ સામે આવ્યા.

ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 34 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી કુલ 572 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 320
સુરત – 33
રાજકોટ – 18
વડોદરા – 107
ગાંધીનગર – 15
ભાવનગર – 23
કચ્છ – 4
મહેસાણા – 2
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 2
પાટણ – 14
છોટાઉદેપુર – 3
જામનગર – 1
મોરબી – 1
આણંદ – 9
સાબરકાંઠા – 1
બનાસકાંઠા – 2
દાહોદ – 1
ભરૂચ – 11

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x