આરોગ્યગાંધીનગરગુજરાત

બે દિવસમાં તમામ ખાનગી દવાખાના ખોલો, નહીં તો લાઇસન્સ રદ્દ થશે: રાજીવ કુમાર

ગાંધીનગર :

સરકારે 48 કલાકમાં તમામ ખાનગી દવાખાનાને ખોલવા આદેશ આપી દીધો છે. આમ નહીં કરનાર દવાખાનાના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના અગ્ર સચિવ આઇએએસ અધિકારી રાજીવ કુમારે આ આદેશ કર્યો છે. હાલ આ મહામારી સમયે ખાનગી દવાખાના ધરાવતા લોકો પોતાના ક્લિનિક બંધ કરીને બેસી ગયા છે. જેને લઈને દર્દીઓને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા ગુજરાતના એડી.ચીફ સેક્રેટરી અને જેમને અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે તે રાજીવ કુમાર ગુપ્તાએ તમામ ડોક્ટરોને તાકીદે પોતાના ક્લિનિક ખોલવા હુકમ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x