ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના 1364 નવા કેસ નોંધાયા, 12 દર્દીના નિધન સાથે મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો.

ગાંધીનગર :
રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1364 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1447 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1,17,709 એ પહોંચી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 281, અમદાવાદમાં 165, જામનગરમાં 126, રાજકોટમાં 143, વડોદરામાં 122, મહેસાણામાં 36, બનાસકાંઠામાં 34, કચ્છમાં 34, ભાવનગરમાં 33, પંચમહાલમાં 28, અમરેલી 27, મોરબીમાં 26, પાટણમાં 26, ભરૂચમાં 25 અને ગાંધીનગરમાં 41, જૂનાગઢમાં 38, તાપીમાં 16, ગીર સોમનાથ 15, ખેડામાં 14, સાબરકાંઠામાં 10, આણંદમાં 9, દાહોદમાં 9, બોટાદમાં 8, દેવભૂમિ દ્વારકામાં 8, નર્મદામાં 8, છોટાઉદેપુરમાં 7, વલસાડમાં 7, અરવલ્લીમાં 5, ડાંગમાં 5, નવસારીમાં 5, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3, સુરતમાં 6, અને ગીરસોમનાથ, વડોદરમાં 1-1 અને રાજકોટમાં 2 મળીને કુલ 12 દર્દીના દુખદ નિધન થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x