ગાંધીનગર

ઇન્ફોસીટીથી રીલાયન્સ સર્કલ સુધીના માર્ગની ઢાંકણા વગરની ખુલ્લી ગટરો વાહનચાલકો માટે જોખમી 

ગાંધીનગર :

શહેરમાં આવેલાં ઇન્ફોસીટીથી કુડાસણ તરફ જવાના માર્ગ ઉપર તંત્ર દ્વારા બ્રાન્ચ કેનાલો બનાવવામાં આવી છે. જેના ગટરના ઢાકણાં માર્ગોની ઉપર આવેલાં છે જેનું નિયમિત ચેકીંગ કરવામાં નહીં આવતાં આ માર્ગ ઉપર ઢાંકણા વગરની ખુલ્લી ગટરો વાહનચાલકો માટે પણ જોખમી બની છે તો કોઇપણ પ્રકારની આડસ નહીં મુકાતા રાત્રીના સમયે અકસ્માત સર્જાવાનો ભય પણ સતાવી રહ્યો છે.

ઇન્ફોસીટીથી રીલાયન્સ સર્કલ સુધીના માર્ગનું નવિનીકરણ થોડા સમય અગાઉ જ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ગનો પહોળો કરવાની કામગીરી અંતર્ગત પાસે આવેલી ગટર લાઇનની બ્રાન્ચ કેનાલો રસ્તાની વચ્ચોવચ આવી જવા પામી છે. ત્યારે તંત્ર દ્વારા બ્રાન્ચ કેનાલના ઢાંકણા પણ નાંખવામાં આવ્યાં છે. યોગ્ય ગુણવતા વગરના ઢાંકણા હોવાથી અવાર નવાર તુટી જાય છે તો ગટરો પણ બિસ્માર બની જવાથી ખુલ્લી થઇ જવા પામે છે. આમ ઢાંકણા વગરની ગટરોની આસપાસ અકસ્માત ન સર્જાય તે માટે કોઇપણ પ્રકારની આડસ મુકવામાં આવતી નથી તો તેના સમારકામની કામગીરી પણ તંત્ર દ્વારા નહીં કરાતાં અવર જવર કરતાં વાહનચાલકો માટે પણ જોખમી બની ગઇ છે. રોજના અસંખ્ય વાહનોની અવર જવર આ માર્ગ ઉપર થતી હોવાથી આડસ વગરની ખુલ્લી ગટર અકસ્માત નોતરી શકે એમ છે. તંત્ર દ્વારા સત્વરે ખુલ્લી બ્રાન્ચ કેનાલના ઢાંકણા નાંખવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો અવારનવાર આ માર્ગ ઉપર ગટરના ઢાંકણા બિસ્માર બનતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x