નેપાળમાં ભૂકંપે મચાવી તબાહી, મૃતાંક વધીને 128 થયો
નેપાળમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 6.4ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે અનેક ઈમારતો પડી છે. નેપાળમાં ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા વધીને 128 થઈ ગઈ છે. ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. મોડી રાત્રે અહીં ભૂકંપ આવ્યો હતો. નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી ઘણું નુકસાન થયું છે.
એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. 6.4ની તીવ્રતાના ભૂકંપે નેપાળમાં તહસ નહસ કરી નાંખ્યો છે. આ ભૂકંપનો ઝટકો નેપાળની રાજધીની સહિત ભારતના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. એક એજન્સીના જણાવ્યા મુજબ શુક્રવારે અડધી રાત પહેલા ઉત્તર-પશ્ચિમી નેપાળના જિલ્લાઓમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જે ભૂકંપના કારણ 128 જેટલા લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.