ગાંધીનગર

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા જીલ્લા રોજગાર વિનિમય કચેરી, “ C ” વીંગ પહેલો માળ, સહયોગ સંકુલ , સેક્ટર-૧૧ ગાંધીનગર ખાતે ૨૪/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ ભરતી મેળા દરમિયાન કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ, બેક ઓફીસ સપોર્ટ સ્ટાફ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં એન્જીનીયર વગેરે જેવી જગ્યાઓ માટે ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. જેથી રોજગારવાન્છું ઉમેદવારોને વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર

રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવનાર છે. જિલ્લા રોજગાર અધિકારી દ્વારા ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *