ગાંધીનગર

ગાંધીનગર ખાતે પિતૃમોક્ષાથ ભવ્ય જાહેર શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન

શ્રદ્ધા ભક્તિ પ્રાર્થના અને પુણ્ય કર્મના ફળ સ્વરૂપ પરમાત્મા નામ સ્મરણ અને દર્શનનો યોગ પ્રાપ્ત થતો હોય છે અને એમાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના પાવન પવિત્ર દિવ્ય લીલાઓનો ગાન અને પાન કરવાનો સોનેરી અવસર વાવોલ .હોટલ લીલાની સામે પૂજ્ય ગોસ્વામી સંજય ભારતી બાપુ (સુંદર ધામ રાધેજા)ના ભક્તિમય શ્વરમાં પોતાના પિતૃઓના મોક્ષાર્થ વ્યાસ જીગ્નેશકુમાર નંદુલાલ ચતુરલાલ પરિવારના મુખ્ય યજમાન અને નિમંત્રક પદે

તારીખ ૫ જાન્યુઆરી શુક્રવાર થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ગુરૂવાર સુધી દરરોજ બપોર બે થી પાંચ કલાક વૈદેહી ૨ સહજાનંદ સ્કાય ની સામે દેવુભા ગોલના પ્લોટ માં વાવોલ ગાંધીનગર ખાતે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ મહોત્સવ રૂપે આયોજન કરવામાં આવેલ છે કથા દરમિયાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાઓનો સુંદર ગાન અને સાથે સાથે પંચદેવપૂજન ભાગવત કથા મહાત્મય .કુંતીજી સ્તુતિ ભીશ્મ સ્તુતિ સુખદેવજી નું દિવ્ય ચરિત્ર કપિલ મુની આખ્યાન .

શિવચિરત્ર ધ્રુવચરિત્ર

વામન ચરિત્ર

શ્રીરામ કથા રામ જન્મોત્સવ ભગવાનની સુંદર મજાની કૃષ્ણ જન્મોત્સવ બાળલીલાઓ તથા માખણ ચોર લીલાઓ અને ગોવર્ધન પૂજા રસોત્સવ કંસવધ કૃષ્ણ રૂકમણિ વિવાહ સુદામા ચરિત્ર ભગવાનના નિજધામ ગમનની તથા ભગવત ગીતા વિશ્રામની કથાઓનું જ્ઞાન અને પાન કરાવવામાં આવશે તારીખ ૫/૧/૨૪ના રોજ બપોરે એક કલાકે ભવ્ય અને દિવ્ય પોથીયાત્રા ડીજે બેન્ડવાજા બગી દ્વારા મુખ્ય યજમાન શ્રીમતી ભૂમિકા ગૌરી જીગ્નેશકુમાર વ્યાસના નિવાસસ્થાન A૫૦૨ વૈદેહી ટુ થી કથા સ્થળ વૈદેહી ટુ સહજાનંદ સ્કાયની સામે દેવુભા ગોલના પ્લોટ માં વાવોલ ગાંધીનગર ખાતે જશે તો આ કથા મહોત્સવનો લાભ લેવા ભક્તજનોને પધારવા પ્રેમભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે વધુ વિગત માટે 93 27 0039 40 પર સંપર્ક કરશો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x