રાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બન્યા, 24 કલાકમાં 4 આતંકી હુમલા થયા

જમ્મુ :

કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બની ગયા છે. તાજેતરમાં ગત 24 કલાકમાં આતંકવાદીઓએ કશ્મીરનાં પુલવામા જિલ્લામાં બે, શોપિયા જિલ્લામાં એક અને શ્રીનગરમાં એક હુમલો કર્યો છે. પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન-સ્થાનિક મજૂરો ઘાયલ થયા છે. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં લાલ ચોક પાસે CRPF જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છોટીગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં એક કાશ્મીરી પંડિત બાલ કૃષ્ણ ઘાયલ થયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x