ગાંધીનગર બ્રાંચ (WIRC)નું આજે ધ પ્લુટસ, કુડાસણ ખાતે ભવ્ય ઓપનીંગ
ગાંધીનગર ખાતે ગાંધીનગર બ્રાંચ (WIRC)નું આગામી તા. ૨૩-૧૧-૨૦૨૩, બુધવારના રોજ ગાંધીનગર ધ પ્લુટસ, કુડાસણ, ગાંધીનગર ખાતે ઓપનીંગ થવા જઈ રહ્યું છે. આ ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકેસીએ અકિંત તલાટી (પ્રેસીડન્ટ, આઈસીએઆઈ), ગેસ્ટ ઓફ હોનર સીએ શ્રી રણજીતકુમાર અગ્રવાલ (વાઈસ પ્રેસીડન્ટ, આઈસીએઆઈ), સ્પેશીયલ ઈન્વાઈટી સીએ શ્રી પુરષોત્તમ ખંડેલવાલ (ચેરમેન – ઈન્ફ્રા કમિટી, ગાંધીનગર બ્રાંચ)ખાસ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર બ્રાંચ (WIRC)માં સાંબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરનો સમાવેશ થાય છે અને ૬૪૦ જેટલા સીએ આ બ્રાંચના સદસ્યો તરીકે નોંધાયેલ છે. ગાંધીનગર બ્રાંચ (WIRC)નું કાર્ય ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રશ્નો પરત્વે કામગીરી તેમજ ભારત સરકાર દ્વારા વિવિધ નોટીફીકેશન તેમજ નવા કાયદા અને તે અંગેની માહિતીના આદાન પ્રદાન કરવાનું છે. આ માટે સંસ્થા દ્વારા વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સેમિનારમાં આ ક્ષેત્રના નિષ્ણાંતો આવીને માર્ગદર્શન આપતાં રહે છે. ગાંધીનગર બ્રાંચના ચેરમેન સીએ ચિંતનભાઈ ઠક્કરે જણાવેલ કે ગાાંધીનગર બ્રાંચ (WIRC)ના ઓપનીંગથી ગાંધીનગર, સાંબરકાંઠા, મહેસાણાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ને ખૂબ જ લાભ થશે. સીનીયર્સ સીએનો લાભ તો મળશે જ તેની સાથે સાથે સીએમાં નવોદિત CAને પણ આનાથી ઘણો ફાયદો થશે.
આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ રાહત પણ આપવામાં આવશે. સ્પેશીયલ ઈન્વાઈટી સીએ શ્રી પુરષોત્તમ ખંડેલવાલ (ચેરમેન – ઈન્ફ્રા કમિટી, ગાંધીનગર બ્રાંચ) દ્વારા પણ આ ઓપનીંગ સેરેમની વિશે માહિતી આપતા જણાવેલ કે તમામ કાઉન્સીલના મેમ્બરો ઉપસ્થિત રહેવાના હોય તેવો આ પ્રસંગ ખૂબ જ મહત્વનો બની રહેશે. આ સંસ્થા દ્વારા યોજાનાર તમામ સેમિનારો અને ટ્રેનીંગો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે ખૂબ જ મદદરુપ બની રહેશે.
આ બ્રાંચના ચેરમેન તરીકે સીએ ચિંતનભાઈ ઠક્કર, વાઈસ ચેરમેન સીએ બી. કે. ચાવડા, સેક્રેટરી સીએ રોમીલ શાહ, ટ્રેઝરર સીએ સમીર ઘાંસી, એમસીએમ સીએ અર્પણ યાજ્ઞિક, સીએ ઈર્સાદ સાબુગર, સીએ શ્રી હિતેશ પોમલ (વાઈસ ચેરમેન – WIRC ICAI) સહિત સદસ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.