ગાંધીનગર

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી: બાળકના સર્વાંગી વિકાસ માટે સમર્પિત વિશ્વની એકમાત્ર સંસ્થા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી સ્થાપિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી એ વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી છે, જે બાળકના સર્વાંગી વિકાસ માટે અનુભૂતિજન્ય અને સર્જનાત્મક શિક્ષણમૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સંસ્થા પરંપરાગત શિક્ષણથી આગળ વધીને બાળકનું જીવન મૂલ્યસમૃદ્ધ બને તે માટે કાર્યરત છે. યુનિવર્સિટીના રિસર્ચ પ્રોગ્રામ વિભાગ અંતર્ગત, ડૉ. સંજય પટેલના વિઝનરી માર્ગદર્શન હેઠળ, સંશોધક ડૉ. જયદીપ શર્માએ બાળકોમાં જીવનમૂલ્યો શિક્ષણ હેતુ થી ઊંડાણપૂર્વકનું સંશોધન કરીને સફળતાપૂર્વક ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. તેમનું સંશોધન બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોના સંવર્ધન અને નૈતિક શિક્ષણના વિસ્તરણ માટે દિશાનિર્દેશક બની રહેશે. આજના યાંત્રિક યુગમાં હૃદયસ્પર્શી માનવમૂલ્યોના સંચય માટે આ અભ્યાસ અદ્વિતીય યોગદાન પુરું પાડશે. ડૉ. જયદીપ શર્માને તેમના આ ઉચ્ચ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જીવનના ભાવિ ઉજ્જવળ માર્ગ માટે હાર્દિક શુભકામનાઓ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x