ગુજરાત

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, લંડન જતા પ્લેનમાં પૂર્વ CM રૂપાણી સહિત 242 પેસેન્જર સવાર હતા.

અમદાવાદ :

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના મેઘાણીનગર પાસે અમદાવાદથી લંડન જતુ પ્લેન ક્રેશ થયું હતું. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. પ્લેનમાં કેટલા પેસેન્જર હાજર હતા તેની કોઈ પણ પ્રાથમિક માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા પ્લેનમાં 10 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 242 જેટલા લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *